પ્રકરણ–6 : રિસોર્સ સેન્ટર
(સંસાધન કેન્દ્ર)
જવાબ: સંસાધન કેન્દ્રના નીચે મુજબના હેતુઓ છે:
- શિક્ષક અને વિદ્યાર્થીઓને યોગ્ય શૈક્ષણિક સાધન સામગ્રી સુલભ કરવી.
- વિષય મુજબ શિક્ષકો માટે ગોષ્ઠી મંચ રચી વિચારોના આદાનપ્રદાન માટે જરૂરી પ્રોત્સાહન પૂરું પાડવું.
- સંસાધન કેન્દ્ર થકી નાવીન્યપૂર્ણ કાર્યને વેગ પૂરો પાડવો.
- શિક્ષણ સહાયક વાતાવરણ સુનિશ્ચિત કરવું, જે અધ્યેતા (શિક્ષક કે વિદ્યાર્થી)ને જુદા જુદા સંસાધનોથી લાભાન્વિત કરે.
પુસ્તકાલય એ શિક્ષણને સમૃદ્ધ કરવાનું એક મહત્ત્વનું સ્થાન છે અને શાળા તંત્રનું એક મહત્ત્વનું અને અનિવાર્ય અંગ છે.
- પુસ્તકાલયમાં ઉપલબ્ધ પુસ્તકોનો ઉપયોગ કરી શિક્ષક અને વિદ્યાર્થી પોતાના જ્ઞાનને સમૃદ્ધ કરી શકે છે.
- પોતાની સજ્જતા વધારી શકે છે.
- પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ વિષયવસ્તુના વ્યાપની મર્યાદાને સંદર્ભ પુસ્તકોની મદદથી દૂર કરી શકાય છે.
પ્રવર્તમાન સમયમાં પુસ્તકોની ઈ-કોપી (CD/DVD સ્વરૂપે) ઉપલબ્ધ છે, જેનું વાંચન કમ્પ્યૂટરની મદદથી કરી શકાય છે.
- શિક્ષણક્ષેત્રે થયેલ નાવીન્ય સંબંધિત માહિતી ઈ-સ્વરૂપે ઈન્ટરનેટ પરથી મેળવી શકાય છે.
- વિષયવસ્તુ સંબંધિત ચિત્ર, વીડિયો, એનિમેશન વગેરે ઈન્ટરનેટ પરથી પ્રાપ્ત થાય છે.
- શિક્ષક તેનો શિક્ષણકાર્યમાં અને વિદ્યાર્થી ઈ-સાહિત્ય તરીકે સ્વ-અધ્યયન માટે ઉપયોગ કરી શકે છે.
- સ્માર્ટ ક્લાસનો ઉપયોગ શાળા કક્ષાએ મુખ્યત્વે શિક્ષકો દ્વારા વિષયવસ્તુની રજૂઆત માટે થાય છે.
- વિદ્યાર્થીઓ દ્વારા સ્વ-અધ્યયન અને વિષયવસ્તુના દૃઢીકરણ માટે કરવામાં આવે છે.
- ઈન્ટરનેટ પરથી મેળવેલ વિષયવસ્તુને અનુરૂપ એનિમેશન, વીડિયો અને ઈમેજને સ્માર્ટબોર્ડ દ્વારા રજૂ કરી શકાય છે.
- સ્માર્ટ ક્લાસમાં શૈક્ષણિક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલું હોય છે, જેમાં સમાવિષ્ટ વિષયવસ્તુનો ઉપયોગ શિક્ષક વિષયવસ્તુની રજૂઆત માટે કરે છે.
- ઈન્ટરનેટ પરથી મેળવેલ એનિમેશન, વીડિયો, ઈમેજ તેમજ CD કે DVD ને સ્માર્ટબોર્ડ દ્વારા રજૂ કરી શકાય છે.
- દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા શિક્ષક પોતાના શિક્ષણને સરળ, ઝડપી અને અસરકારક બનાવી શકે છે.
- આ રીતે ભૌતિક રજૂઆતની કેટલીક મર્યાદાઓ દૂર કરી શકાય છે.
જવાબ:
- સ્માર્ટ ક્લાસમાં કમ્પ્યૂટર, મલ્ટિમીડિયા પ્રોજેક્ટર અને સ્માર્ટ ક્લાસ (Electronic Screen) હોય છે.
- મોટેભાગે ધોરણ અને વિષયને ધ્યાનમાં લઈને કમ્પ્યૂટરમાં એક શૈક્ષણિક સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલું હોય છે.
- માહિતી અને પ્રત્યાયન તકનિકીના વિકાસના કારણે વિપુલ પ્રમાણમાં સંસાધનો પ્રાપ્ય બન્યાં છે, જેનો યોગ્ય ઉપયોગ શિક્ષણને સરળ અને અસરકારક બનાવે છે.
- શિક્ષક અને વિદ્યાર્થી પોતાના અનુકૂળ સમયે સતત શિક્ષણ મેળવતા રહે એ માટે સંસાધન કેન્દ્રનું અસ્તિત્વ જરૂરી બને છે.
- સંસાધનો સાથે આદાનપ્રદાન થકી શિક્ષક અને વિદ્યાર્થી પોતાના જ્ઞાનને વધુ સમૃદ્ધ કરી શકે છે.
- સંસાધન કેન્દ્ર (Resource Centre) એ પુસ્તકાલય કરતાં કંઈક વિશેષ છે.
- Resource Center is a place which provides information, equipment & support.
- અર્થાત્ સંસાધન કેન્દ્ર માહિતી, સાધન અને મદદ પૂરી પાડતી જગ્યા છે.
“શિક્ષક અને વિદ્યાર્થી પોતાના અનુકૂળ સમયે અધ્યયન માટેની સેવાઓ પ્રાપ્ત કરી પોતાની સજ્જતા વધારી શકે તે માટેનું સ્થળ એટલે સંસાધન કેન્દ્ર.”
- માતૃભાષા સિવાયની ભાષાના શિક્ષણ માટે Language Lab વધુ ઉપયોગી બની શકે છે.
- તેના દ્વારા વિદ્યાર્થીમાં ભાષાના શબ્દોના ઉચ્ચારો, વિદ્યાર્થીનું વાંચન અને સમજને ચકાસી શકાય છે.
- તજજ્ઞ માસ્ટર કોન્સોલનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને સમૂહમાં કે વ્યક્તિગત સૂચના આપી શકે છે.
- આદર્શ વાંચન સંભળાવી શકાય છે અને વ્યક્તિગત વાર્તાલાપ કરી શકાય છે.
- ઇન્સ્ટોલ કરેલા સોફ્ટવેરની મદદથી વિદ્યાર્થીઓ પોતાના ભાષાના જ્ઞાનને સમૃદ્ધ કરી શકે છે.
- શિક્ષક અને વિદ્યાર્થીને પોતાના અનુકૂળ સમયે જ્ઞાન પ્રાપ્ત કરવાની તક મળે છે.
- શિક્ષણ સંબંધિત પોતાની સમસ્યાનો ઉકેલ સંસાધન કેન્દ્ર દ્વારા મેળવી શકે છે.
- ગોષ્ઠી મંચ દ્વારા વિષય સંબંધિત નાવીન્ય વિચારોનું આદાનપ્રદાન શક્ય બને છે.
- શિક્ષક પોતાના અધ્યાપનને અસરકારક બનાવી શકે છે અને પૂરક માહિતી મેળવી શકે છે.
- વિદ્યાર્થીને સ્વ-અધ્યયન માટે અને શીખવેલ જ્ઞાનના દૃઢીકરણ માટે ઉપયોગી બને છે.
વિષય અનુરૂપ પુસ્તકો ઉપલબ્ધ હોય છે.
ઈન્ટરનેટ પરથી માહિતી પ્રાપ્ત કરવા અને સંદર્ભ સાહિત્યના ઉપયોગ માટે.
વિષય અનુરૂપ TLM તૈયાર કરવા માટેની કાચી સામગ્રી અને માર્ગદર્શિકા.
તકલીફના નિરાકરણ માટે તજજ્ઞ દ્વારા શિક્ષણ આપી શકાય તેવી વ્યવસ્થા.
પ્રેઝન્ટેશન્સ, વીડિયો CD, કસોટીઓ વગેરેની સાચવણી.
વિષય ફોરમ દ્વારા વિષયમાં રસ ધરાવનાર વ્યક્તિઓની મુલાકાત અને ચર્ચાનું કેન્દ્ર.
શાળામાં ઉપલબ્ધ કેટલીક સુવિધાઓ સંસાધન કેન્દ્રની ગરજ સારી શકે એમ છે. તેમાં નીચેની સુવિધાઓનો સમાવેશ થાય છે:
આ પ્રશ્ન પ્રશ્ન નંબર 11 જેવો જ છે. અધ્યયન-અધ્યાપન સમૃદ્ધિકરણ માટે નીચેના સંસાધનોનો સમાવેશ થાય છે:
- પુસ્તકાલય.
- કમ્પ્યૂટર અને ઈન્ટરનેટની સુવિધા.
- સાધન સામગ્રી રચના અને તેનો ઉપયોગ.
- શિક્ષણ માટેનું સ્થાન.
- અધ્યયન-અધ્યાપન સાહિત્યની સાચવણી.
- માહિતી વિનિમયનું સ્થાન (વિષય ફોરમ).
- સંસાધન કેન્દ્ર થકી નાવીન્યપૂર્ણ કાર્યને વેગ પૂરો પાડી શકાય છે.
- ગોષ્ઠી મંચ દ્વારા વિષય સંબંધિત નાવીન્ય વિચારોનું આદાનપ્રદાન અને નવીન પદ્ધતિઓ પર ચર્ચા કરી શકાય છે.
- વિષય અનુરૂપ નાનું મુખપત્ર પણ બહાર પાડી શકાય છે.
- TLMની રચના કરવા માટે જરૂરી કાચી સામગ્રી અને તજજ્ઞોનું માર્ગદર્શન પૂરું પાડીને આ પ્રવૃત્તિને વેગ આપી શકાય છે.
- સંસાધન સાથે આદાનપ્રદાન થકી શિક્ષક અને વિદ્યાર્થી પોતાના જ્ઞાનને વધુ સમૃદ્ધ કરી શકે છે.
- શિક્ષક–સાહિત્ય, શિક્ષક–TLM, વિદ્યાર્થી–TLM અને વિદ્યાર્થી–સાહિત્ય જેવા આદાનપ્રદાન દ્વારા શૈક્ષણિક પ્રક્રિયા વધુ અસરકારક બને છે.
- શિક્ષકોની અધ્યાપન ક્ષમતા વધારવા માટે સંસાધન કેન્દ્ર મદદરૂપ બને છે.
- શિક્ષકોને વિષયવસ્તુમાં પ્રભુત્વ પ્રાપ્ત કરવામાં સહાય મળે છે.
- અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાને સરળ અને અસરકારક બનાવવા માટે જરૂરી સહાય પૂરી પાડે છે.
- વિદ્યાર્થીને સ્વ-અધ્યયન માટે શીખવેલ જ્ઞાનના દૃઢીકરણ માટે સંસાધન કેન્દ્ર ઉપયોગી બને છે.
- વિદ્યાર્થી સંસાધન કેન્દ્રમાં ઉપલબ્ધ સંસાધનો દ્વારા સ્વ-અધ્યયન કરી નવું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.
- પુસ્તકો, કમ્પ્યૂટર, ઈન્ટરનેટ, e-Book, CD, ચલચિત્ર, Animation વગેરે સુવિધાઓ સ્વ-અધ્યયન માટે શૈક્ષણિક સામગ્રી પૂરી પાડે છે.
- શિક્ષક અને વિદ્યાર્થી પોતાના અનુકૂળ સમયે સતત શિક્ષણ મેળવતા રહે એ માટે સંસાધન કેન્દ્ર ઉપયોગી છે.
- સંસાધન કેન્દ્ર: માહિતી, સાધન અને મદદ પૂરી પાડતું સ્થળ.
- Physical Library: પુસ્તકો અને સંદર્ભ સાહિત્ય દ્વારા જ્ઞાનવૃદ્ધિ.
- E-Library: ડિજિટલ પુસ્તકો, વીડિયો, એનિમેશન અને ઓનલાઈન સામગ્રી.
- Smart Class: કમ્પ્યૂટર, પ્રોજેક્ટર અને સ્માર્ટ સ્ક્રીન આધારિત શિક્ષણ.
- Language Lab: ભાષા ઉચ્ચાર, વાંચન, શ્રવણ અને વાર્તાલાપ કૌશલ્ય માટે ઉપયોગી.
- TLM: અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાને વધુ અસરકારક બનાવતા સાધનો.
- સ્વ-અધ્યયન: વિદ્યાર્થી પોતાની અનુકૂળતા મુજબ સંસાધનોનો ઉપયોગ કરીને જ્ઞાન પ્રાપ્ત કરે છે.